સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી            ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી            આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા            અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું            સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા           

Feb 03, 2023
7:28PM

કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ગંગા વિલાસ નદી ક્રૂઝ દ્વારા આસામની સંસ્કૃતિ અને વારસો વધુ વિકસશે. શ્રી મોદીએ આસામના સ્થાનિક વાંસના ઉત્પાદનો વધુ લોકપ્રિય બન્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે વિશ્વ શાંતિના હેતુથી ચાલી રહેલા કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન પ્રસંગે સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કૃષ્ણગુરુના કાર્યોએ આપણને બધાને દેશ માટે નિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા આપી છે. દેશ સબકા સાથ, સબકા વિશ્વાસના સૂત્ર સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન 6ઠ્ઠી જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે ચાલી રહ્યું છે. એક મહિનાથી સુધી ચાલનારું આ કીર્તન છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરું થશે. કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના 1974માં બારપેટા જિલ્લાના નસાત્રા ગામમાં કરવામાં આવી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ