સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી            ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી            આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા            અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું            સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા           

Jan 22, 2023
11:09AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગે આંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.

આકાશવાણી

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગેઆંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.ઉલ્લેખનીય છે કે, સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિન 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસજાહેર કર્યો છે.

સૌથીમોટા અનામી દ્વીપનું નામ પ્રથમ પરમવીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે. બીજાસૌથી મોટા ટાપુનું નામ બીજા વિજેતાના નામ પર એવી જ રીતે અન્ય ટાપુઓના નામકરણકરાશે. આ ટાપુઓના નામ મેજર સોમનાથ શર્મા, નાયક જદુનાથસિંહ, કંપની હવાલદાર મેજર પુરીસિંહ, લાન્સ નાયક આલ્બર્ટ એક્કા, મેજર રામાસ્વામી પરમેશ્વરન, કેપ્ટન વિક્રમ બત્રા અને  લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે સહિત 21 પરમવીર ચક્રપુરસ્કાર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા છે.

દેશનાસાર્વભૌમત્વ, અખંડિતતાનાઅને સંરક્ષણ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા દેશના વીર જવાનોને આશ્રધ્ધાંજલિ હશે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર નેતાજીનેસમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરશે.


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ