ગુજરાતમાંભાજપ, કોંગ્રેસઅને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આક્રમક બની રહ્યો છે. ગુજરાતમુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજેસૌરાષ્ટ્રમાં ચાર જાહેરસભા સંબોધશે. શ્રી મોદી આજે સવારે સોમનાથ મંદિરમાં દર્શનકરશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓસંબોધશે. તેઓ અમરેલી, રાજુલા, લાઠી, ધારી, સાવરકુંડલા એમ પાંચ બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે. સૌરાષ્ટ્રમાં11 જિલ્લાઓમાં 48 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમા4 પાટીદાર આંદોલન સહિત વિવિધમુદ્દાના કારણે આ વિસ્તારમાં કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપની બેઠકોઘટીને 19 થઈ હતી, જે 2012માં 30 હતી. ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાં ફરીથી સત્તા મેળવવાઉત્સુક છે. આ સાથે કોંગ્રેસ પણ તેની બેઠકો જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આસાથે આમ આદામી પાર્ટી પણ આ પ્રદેશમાં પોતાનું ખાતું ખોલાવવા સખત મહેનત કરી રહી છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે મહુવા અને રાજકોટ ખાતે બેજનસભા સંબોધશે. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે દમણ અને વાપીમાં રોડ શો યોજ્યા હતા.વલસાડમાં જનસભાને સંબોધતા તેમણે લોકોને વધુને વધુ મતદાન કરવા વિનંતી કરી હતી.તેમણે મત શક્તિથી જ દેશમાં વિકાસ થાય છે તેમ જણાવી ઉજ્જવળ ભવિષ્ય માટે યુવામતદારોને મતદાન કરવા આહવાન કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે તાપીજિલ્લાના નિજર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનસભાને સંબોધશે. રાજસ્થાનનામુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શ્રી અશોક ગેહલોત આજે સુરત ખાતે કાર્યકરો સાથેબેઠક કરશે. આવતીકાલે રાજકોટ ખાતે રાહુલ ગાંધી સાથે જનસભાને સંબોધશે. તો આમ આદમીપાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ગઈકાલે સુરત ખાતે ઘેર-ઘેર જઈ લોકસંપર્ક કર્યો હતો.