સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

રાષ્ટ્રીય સમાચાર

 

​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે.

​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વ ક્ષય પરિષદને સંબોધિત કરશે અને એક હજાર 780 કરોડ રૂપિયાનીકિમતના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ કરશે.

​નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડ્ડયન ક્ષેત્રમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જનઘટાડવા માટે ઘણી પહેલ કરી છે.

​નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડ્ડયન ક્ષેત્રમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જનઘટાડવા માટે ઘણી પહેલ કરી છે.
વિમાનમથક સત્તામંડળ દ્વારા 100 ટકા પુનઃપ્રાપ્યઊર્જા માટે આયોજન તૈયાર કર્યું છે. મંત્રાલયે કહ્યું કે, એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે એરપોર્ટ કાર્બન એક્રેડિટેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે એરપોર્ટ પર કાર્બન મેનેજમેન્ટ માટે વૈશ્વિક ધોરણ છે.

​ભારતીય લશ્કરમાં શ્રી અન્ન એટલે કે જાડાં અનાજના વપરાશને પ્રોત્સાહન આપીને હવે તમામ રેન્કના દૈનિક ભોજનમાં તેને સમાવવાનો નિર્ણય કર્યો છે.

​ભારતીય લશ્કરમાં શ્રી અન્ન એટલે કે જાડાં અનાજના વપરાશને પ્રોત્સાહન આપીને હવે તમામ રેન્કના દૈનિક ભોજનમાં તેને સમાવવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય લશ્કરમાં આ મહત્વનો નિર્ણય કરીને સૈનિકોને દેશી અને પરંપરાગત અનાજ પૂરા પાડવામાં આવશે.

​કેન્દ્ર સરકારે દરિયાકાંઠાના સમુદાયોની આજીવિકા માટે સમુદ્ર આધારિત અર્થવ્યવસ્થાને મહત્વ આપ્યું છે.

​કેન્દ્ર સરકારે દરિયાકાંઠાના સમુદાયોની આજીવિકા માટે સમુદ્ર આધારિત અર્થવ્યવસ્થાને મહત્વ આપ્યું છે.
આજે નવી દિલ્હીમાં નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની સામાન્ય સભામાં પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે બહુવિધ વ્યવસ્થાપન ઉદ્દેશ્ય સાથે વિસ્તાર આધારિત વ્યવસ્થાપન માટે પ્રાથમિકતા વિકસાવવા માટે દરિયાઈ આયોજન સાથે આગળ વધી રહી છે

​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિકંદરાબાદમાં બોલારામ ખાતે ઐતિહાસિક રાષ્ટ્રપતિ નિલયમને જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું

​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિકંદરાબાદમાં બોલારામ ખાતે ઐતિહાસિક રાષ્ટ્રપતિ નિલયમને જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું
તેલુગુ નવા વર્ષના ઉગાદીના અવસર પર 160 વર્ષથી વધુ જૂની હેરિટેજ સંપત્તિને જાહેર જનતા માટે ખોલવામાં આવી છે.

જી-20 ટકાઉ વિકાસ નાણાંકીય કાર્યજુથની બીજી બેઠક રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઈ.

જી-20 ટકાઉ વિકાસ નાણાંકીય કાર્યજુથની બીજી બેઠક રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઈ.
જેનો ઉદ્દેશ વૈશ્વિક વૃદ્ધિ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે ટકાઉ નાણાકીય વ્યવસ્થાપનમાં સંબંધિત નીતિઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ મેળવવાનો છે.

બિહારનો આજે એક સૉ અગિયારમો સ્થાપના દિવસ.

બિહારનો આજે એક સૉ અગિયારમો સ્થાપના દિવસ.
22 માર્ચ 1912ના રોજ બિહારને બંગાળથી અલગ કરવામાં આવ્યું હતું. આ દિવસને બિહાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઇસરો 26 માર્ચે સતિશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરીકોટાથી વન વેબ ઇન્ડિયા -2 મિશન શરૂ કરશે

ઇસરો 26 માર્ચે સતિશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરીકોટાથી વન વેબ ઇન્ડિયા -2 મિશન શરૂ કરશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો 26 માર્ચે સતિશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરીકોટાથી વન વેબ ઇન્ડિયા -2 મિશન શરૂ કરશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથેના વેપારી કરાર હેઠળ, ઇસરો બ્રિટન ખાતે આવેલા નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડના 72 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે અને તેમને લો-અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરશે.

પારંપરિક હિન્દુ ચન્દ્ર કેલેન્ડર પ્રમાણે ચૈત્ર માસનો આજથી પ્રારંભ, જે કર્ણાટકમાં ઉગાદી તરીકે ઉજવાઇ રહયો છે

પારંપરિક હિન્દુ ચન્દ્ર કેલેન્ડર પ્રમાણે ચૈત્ર માસનો આજથી પ્રારંભ, જે કર્ણાટકમાં ઉગાદી તરીકે ઉજવાઇ રહયો છે
પારંપરિક હિન્દુ ચન્દ્ર કેલેન્ડર પ્રમાણે ચૈત્ર માસનો આજથી પ્રારંભ થયો છે. જે કર્ણાટકમાં ઉગાદી તરીકે ઉજવાઇ રહયો છે

પીએમ કિસાન યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને બે લાખ 41 હજાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું

 પીએમ કિસાન યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને બે લાખ 41 હજાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ- પીએમ કિસાન યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને બે લાખ 41 હજાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણકર્યું છે. લોકસભામાં કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કેઆ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધા અન
રાષ્ટ્રીય સમાચાર

 

લાઈવ ટ્વીટર ફીડ